
વડોદરાના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપ દ્વારા સક્રિય સદસ્ય સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું દર્દ છલકાયું હતું. તેમણે કહ્યું કે, 'અમારા વિસ્તારમાંથી પાલિકા ચેરમેન, ડે. મેયર બનાવવામાં આવતા નથી. તેમ છતાં અમારા વિસ્તારનો વિકાસ સારો થઇ રહ્યો છે. હસતા મોઢે પોતાના મનની વાત કહી દેતા યોગેશ પટેલે ભાજપને સંભળાવી દીધું કે, 'જે વિસ્તારના લોકોને પક્ષ તરફથી પદ આપવામાં આવે છે, ત્યાં ઓછા મત મળે છે જ્યારે અમારા વિસ્તારમાંથી વધુ મત મળવા છતાં પદ આપવામાં આવતા નથી.'
અમારા વિસ્તારમાંથી વધુ મત મળવા છતાં પદ આપવામાં આવતા નથી
મળતી માહિતી અનુસાર, ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના માંજલપુર વિધાનસભા મતવિસ્તારમાં ભાજપનું સક્રિય સદસ્ય સંમેલન યોજાયું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ, મેયર સહિતના અનેક અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું કે, 'માંજલપુરમાંથી એકવાર નિલેશ રાઠોડને મેયર બનાવવામાં આવ્યા હતા. પણ માત્ર 6 મહિના માટે જ મેયર રહ્યા હતા. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ઝોનમાંથી સૌથી વધુ મેયર બનતા હોવાની પણ તેમણે ફરિયાદ કરી હતી.
આ ત્રણેય ઝોનમાં ઓછા મત મળે છે
આ ત્રણેય ઝોનમાં ઓછા મત મળે છે અને જ્યારે માંજલપુર વિસ્તારમાંથી વધારે મત મળે છે. તેમણે કટાક્ષમાં કહ્યું કે તેમ છતાં અમારો વિકાસ બધા કરતા વધારે થાય છે. હસતા મોઢે સૌની વચ્ચે મંચ પર તેમણે કહ્યું કે જો અમારો કોઇ માણસ અંદર હોય તો આનાથી વિસ્તારનો વધારે વિકાસ થાય.'