વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. બરાબર એક વર્ષ અગાઉ 9 જૂનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે શપથ લીધા હતા. એક વર્ષના આ સમયગાળામાં 3 વખત લોકસભાનું સત્ર યોજાયું હતું જેમાં ગુજરાતના 26 સાંસદોની સરેરાશ હાજરી 93 ટકા નોંધાઇ છે જ્યારે સરેરાશ 47 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે.

