Home / India : 5 major terrorist camps of Lashkar-e-Taiba-JeS in Indian strike

ભારતીય સ્ટ્રાઈકમાં લશ્કર એ તૈયબા- જૈશના 5 મોટા આતંકી ઢેર, મસૂદ અઝહરના બનેવીનો ખાત્મો

ભારતીય સ્ટ્રાઈકમાં લશ્કર એ તૈયબા- જૈશના 5 મોટા આતંકી ઢેર, મસૂદ અઝહરના બનેવીનો ખાત્મો

ભારતે ૭ મે ૨૦૨૫ ના રોજ પાકિસ્તાનમાં #OperationSindoor સફળ લશ્કરી હુમલો કર્યો. આ હુમલામાં ઘણા વોન્ટેડ અને ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા. આમાં પાકિસ્તાનના આતંકવાદી જડ સાથે જોડાયેલા ટોચના કમાન્ડરોનો સમાવેશ થાય છે. ભારતીય હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ભારતની આ કાર્યવાહીમાં લશ્કરના આતંકવાદી અબુ જુંદાલ અને જૈશના આતંકવાદી હાફિઝ મોહમ્મદ જમીલ માર્યા ગયા છે. આ ઉપરાંત, ભારતની કાર્યવાહીમાં જૈશના આતંકવાદી મસૂદ અઝહરનો બનેવી પણ મરાયો છે. ભારતે આતંકવાદીઓ  એકએક આંતકીનો વીણીવીણીને ખાત્મો બોલાવ્યો છે. જૈશનો મોહમ્મદ યુસુફ અઝહર પણ માર્યો ગયો છે. IC-814 ના વોન્ટેડ પણ મરાયો છે.

1) મુદસ્સર ખદિયાન ખસ, (અબુ જુંદાલ) (લશ્કર-એ-તૈયબા)
2) હાફિઝ મુહમ્મદ જમીલ (જૈશ-એ-મોહમ્મદ)
3) મોહમ્મદ યુસુફ અઝહર (ઉસ્તાદ જી) (જૈશ-એ-મોહમ્મદ)
4) ખાલિદ (અબુ અકાશ) (લશ્કર-એ-તૈયબા)
5) મુહમ્મદ હસન ખાન (જૈશ-એ-મોહમ્મદ)

Related News

Icon