બિહારના મધુબનીથી પીએમ મોદીએ આતંકીઓને, આતંકીઓના આકાઓને લલકાર ફેંક્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, ભારત પર કરેલા આ હુમલાનો કમર તોડી નાંખે એવો બદલો લેવામાં આવશે. આતંકીઓને મિટ્ટીમાં મિલાવી દેવાનો સમય આવી ગયો છે. 140 કરોડ ભારતીયોની ઈચ્છા શક્તિ આતંકીઓના આકાઓની કમર તોડી નાંખશે. આતંકીઓએ કલ્પના કરી નહીં હોય એવી સજા આપીશું.

