નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના પ્રમુખ શરદ પવારે યુપીએ સરકારને મની લોન્ડરિંગ કાયદાનો સંભવિત દુરૂપયોગ થવાની પહેલાંથી જ અગમચેતી આપી હોવાનો મોટો ખુલાસો કર્યો છે. શરદ પવારની આ ચેતવણીને યુપીએ સરકારે નજરઅંદાજ કરી હતી. જેનો આજે વર્તમાન સરકાર દ્વારા મોટાપાયે દુરૂપયોગ થઈ રહ્યો હોવાનો દાવો પણ પવારે કર્યો છે.

