Home / Gujarat / Panchmahal : Allegations of widespread corruption in the MNREGA scheme

દાહોદ બાદ હવે પંચમહાલમાં પણ મનરેગા યોજનામાં મોટાપાયે ભષ્ટ્રાચારના આરોપ

દાહોદ બાદ હવે પંચમહાલમાં પણ મનરેગા યોજનામાં મોટાપાયે ભષ્ટ્રાચારના આરોપ

Panchmahal News: દાહોદ બાદ હવે પંચમહાલમાં પણ મનરેગા યોજનામાં મોટાપાયે ભષ્ટ્રાચાર થયો હોવાનું સામે આવ્યું છે. પંચમહાલમાં મનરેગા યોજનામાં મોટાપાયે ભષ્ટ્રાચાર થયો હોવાને લઈને તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. દાહોદ જીલ્લામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પંચમહાલમાં પણ યોગ્ય તપાસના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી. ગોધરા મોરવા હડફ અને ઘોઘંબા તાલુકામાં મનરેગા યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો. મનરેગા યોજનામાં ભષ્ટ્રાચારમાં સંડોવાયેલા તમામ લોકો સામે ગુનો દાખલ કરીને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ હતી. આ મામલે પંચમહાલના તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ ગુજરાત વિરોધ પક્ષના નેતા પણ રજુઆત કરશે.

Related News

Icon