અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નવી અપડેટ મળી રહી છે. અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદના મેઘાણી નગરમાં ક્રેશ થયું છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, "અમદાવાદથી બપોરે 1:38 વાગ્યે ઉપડેલી ફ્લાઇટ બોઇંગ 787-8 વિમાન હતી જેમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. તેમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિક હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. વધુ માહિતી પૂરી પાડવા માટે એર ઇન્ડિયાએ પેસેન્જર હેલ્પલાઇન નંબર 1800 5691 444 પણ જાહેર કર્યો છે.

