જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી વાડી શાળા નંબર 2માં કાયમી શિક્ષક ન હોવાથી વિદ્યાર્થીઓ રામ ભરોસે છે. આ શાળામાં 58 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ કાયમી શિક્ષકની નિમણૂક ન હોવાથી આજુબાજુની શાળાના શિક્ષકો અભ્યાસ કરાવા માટે આવે છે. તેમજ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ આ શાળાએ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે સેવા આપવા માટે આવે છે.

