Home / Entertainment : Kajal Pisal broke her silence on playing character of Daya in TMKOC

'TMKOC' માં દયાબેનનું પાત્ર ભજવવા પર કાજલ પિસલે તોડ્યું મૌન, કહ્યું- 'હું કન્ફર્મ કરું છું કે...'

'TMKOC' માં દયાબેનનું પાત્ર ભજવવા પર કાજલ પિસલે તોડ્યું મૌન, કહ્યું- 'હું કન્ફર્મ કરું છું કે...'

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વર્ષોથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ટોપ પર છે. આ શોએ કોમેડીની દુનિયામાં વર્ષો સુધી TRP પર રાજ કર્યું, પરંતુ જ્યારથી દયાબેનનું પાત્ર ભજવનારી દિશા વાકાણીએ આ શો છોડી દીધો છે, ત્યારથી 'TMKOC' ના ફેન્સ દુઃખી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દર્શકો છેલ્લા 7 વર્ષથી 'TMKOC' માં દયાબેનના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. એવી ચર્ચા હતી કે મેટરનિટી લિવ પર ગયેલી દિશા વાકાણી પાછી આવશે. પણ હવે આવું નહીં થાય. બીજી વખત માતા બન્યા પછી, દિશાએ સ્પષ્ટ કરી દીધું હતું કે તે હવે દયાબેનની ભૂમિકા નહીં ભજવે.

તાજેતરમાં, એવા સમાચાર આવ્યા હતા કે દિશા વાકાણીના ઈનકાર પછી નિર્માતાઓએ નવી દયાબેનની શોધ શરૂ કરી છે અને તેમને આ ભૂમિકા માટે અભિનેત્રી પણ મળી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે નવી દયાબેન માટે જે અભિનેત્રીની પસંદગી કરવામાં આવી છે તે જાણીતી અભિનેત્રી કાજલ પિસલ છે.

નવી દયાબેનના લુક ટેસ્ટનો ફોટો વાયરલ થયો

એટલું જ નહીં, કાજલ પિસલના કેટલાક લુક ટેસ્ટ ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા. ફોટોમાં તે દયાબેનના લુકમાં જોવા મળી હતી, જેના પછી ફેન્સ માનવા લાગ્યા કે કદાચ કાજલ દયાબેન બનીને શોમાં આવશે. હવે દયાબેનની ભૂમિકા ભજવવાની અફવાઓ પર કાજલ પિસલની પહેલી પ્રતિક્રિયા આવી છે.

2022માં ઓડિશન આપ્યું

કાજલ પિસલે આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે 'તારક મહેતા' શોમાં દયાબેનની ભૂમિકા નહીં ભજવે. તે કહે છે કે લુક ટેસ્ટના ફોટો ઓરિજનલ છે, પણ તે 3 વર્ષ જૂના છે. તેણે 2022માં દયાબેનના રોલ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ હજુ સુધી તેને કોઈ ફોન નથી આવ્યો.

કાજલ નવી દયાબેન નહીં બને

અભિનેત્રીએ કહ્યું, "હું પહેલેથી જ 'ઝનક' પર કામ કરી રહી છું, તેથી આ સંપૂર્ણપણે ખોટું છે. હા, મેં 2022માં દયાબેન માટે ઓડિશન આપ્યું હતું અને હવે તે તસવીરો ફરીથી બહાર આવી રહી છે પરંતુ હું કન્ફર્મ કરું છું કે આ સમાચાર હાલમાં સંપૂર્ણપણે ખોટા છે."

TOPICS: TMKOC
Related News

Icon