વ્યારાના એપીએમસી માર્કેટમાં હાલ કેરીના આગમન થઈ ગયું છે. શરૂઆતના એક બે દિવસમાં ઓછી કેરીઓ આવી હતી પરંતુ શુક્રવારથી વ્યારા એપીએમસી માર્કેટમાં કેરીનું માર્કેટ એકદમ સારું થઈ ગયું છે. શુક્રવારે દિવસ દરમ્યાન 14 ટન કેરી અંદાજિત 14 હજાર કિલો વેચાવવા માટે આવી હતી. બીજી તરફ વેપારીઓ અને ખેડૂતો પણ ખરીદ વેચાણ માટે મોટી સંખ્યામાં એપીએમસી માર્કેટમાં આવી જતા ખેડૂતો અને વેપારીઓ બંનેને ફાયદો થઈ રહ્યો છે. માર્કેટમાં છૂટક ખરીદી કરવા આવતા લોકો પણ અથાણાંની કેરીઓની ખરીદી કરી રહ્યા છે.

