Home / Entertainment : Vishal Dadlani bids farewell to Indian Idol

વિશાલ દદલાનીએ ઇન્ડિયન આઇડલને કહ્યું અલવિદા, ભાવુક પોસ્ટમાં ચાહકોને જણાવ્યું કારણ

વિશાલ દદલાનીએ ઇન્ડિયન આઇડલને કહ્યું અલવિદા, ભાવુક પોસ્ટમાં ચાહકોને જણાવ્યું કારણ

famous music composer અને સિંગર વિશાલ દદલાનીએ આખરે 'ઈન્ડિયન આઈડલ' સાથેની છ વર્ષની સફરનો અંત કર્યો છે. તેણે આ લોકપ્રિય સિંગિંગ રિયાલિટી શોમાં જજ તરીકે લાંબો સમય વિતાવ્યો, પરંતુ હવે આ સિઝનના અંત સાથે તેણે એક Instagram પોસ્ટ દ્વારા ચાહકોને ભાવનાત્મક અલવિદા કહ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઇન્સ્ટાગ્રામ પર કરી ભાવુક પોસ્ટ

વિશાલે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાની સફરને યાદ કરી. ગાયકે લખ્યું, "ગુડબાય મિત્રો. મેં 6 સિઝનનો આનંદ માણ્યો તેના કરતાં વધુ હું તમને યાદ કરીશ. આ શોએ મને મારા હકદાર કરતાં વધુ પ્રેમ અને સન્માન આપ્યું છે અને હું તેના માટે હંમેશા આભારી રહીશ."

તે આગળ લખે છે, "હું ઈન્ડિયન આઈડલને એટલા માટે જ છોડી રહ્યો છું કારણ કે મને હવે મારો સમય પાછો જોઈએ છે. હું દર વર્ષે 6 મહિના મુંબઈમાં રહી શકતો નથી. હવે સમય આવી ગયો છે કે હું ફરીથી સ્ટેજ પર ઉતરું, મ્યૂઝિક બનાવું અને લાઈવ કોન્સર્ટ કરું. હવે હું કદાચ ફરી ક્યારેય મેકઅપ નહીં લગાવું."

તમને જણાવી દઈએ કે વિશાલ દદલાની માત્ર એક જાણીતા મ્યુઝિક કમ્પોઝર નથી, પરંતુ 'વિશાલ-શેખર'ની જોડીના ભાગરૂપે તેમણે 'ઓમ શાંતિ ઓમ', 'ચિન્ના એક્સપ્રેસ', 'બેંગ બેંગ' અને 'વોર' જેવી બોલિવૂડની હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ઉપરાંત તે સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર ખુલ્લેઆમ તેના વિચારો વ્યક્ત કરવા માટે જાણીતા છે.

વિશાલના જવાથી ન માત્ર ચાહકો જ દુ:ખી છે, પરંતુ ઈન્ડિયન આઈડલની દુનિયામાં એક વિશાળ ખાલીપો પણ સર્જાઈ ગઈ છે. વિશાલ દદલાનીની પોસ્ટ પર ટિપ્પણી કરતાં આદિત્ય નારાયણે પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું, "એક યુગનો અંત આવી રહ્યો છે. તમારા વિના ઈન્ડિયન આઈડલ પહેલા જેવું નહીં રહે."

Related News

Icon