આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં કરાર આધારિત અધિક સચિવ તરીકે કામ કરતા દિનેશ પરમારની રૂપિયા ૧૫ લાખની લાંચ કેસમાં ધરપકડ કરીને એસીબીએ તપાસ શરૂ કરી છે. જેમાં અમદાવાદના અડાલજ ખાતે આવેલા સ્વર્ણિમ વાટીકા બંંગ્લોઝમાં તેમજ સેક્ટર-૨૭માં આવેલા મકાન ખાતે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બેંક એકાઉન્ટ અને લોકરની તપાસ કરવામાં આવી રહી છે.

