12 જૂનના રોજ, ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભરતાની સાથે જ ક્રેશ થયું હતું. અકસ્માત સમયે, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા, જેમાંથી 241 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ફક્ત એક જ વ્યક્તિ, રમેશ વિશ્વાસ કુમાર, બચી ગયો હતો, જે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ CM વિજય રૂપાણી તેમની પત્નીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમનું પણ નિધન થયું હતું.

