Operation Sindoor: ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહે પહલગામ આતંકવાદી હુમલાના જવાબમાં પાકિસ્તાન અને PoKમાં ભારતીય સેના દ્વારા અંજામ આપવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' પર પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે બુધવારે 6 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 50 બીઆરઓ (બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન) ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ભારતીય સેનાએ દેશનું ગૌરવ વધાર્યું છે.

