સુરતના અમરોલી વિસ્તારમાં છાપરાભાઠા રોડ પર આવેલી એક જૂની સોસાયટી આજકાલ ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. અહીં આવેલું અંદાજિત 35 વર્ષ જૂનું મકાન સમૂહ આજે અત્યંત જર્જરિત અને જીવલેણ સ્થિતિમાં છે. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આ મકાનોને ખાલી કરાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં પાલિકાએ કુલ 19 નોટિસો આપી છે, તેમ છતાં હજી પણ લગભગ 50 ટકા જેટલા મકાનોમાં રહીશો વસવાટ કરે છે.

