આજે દેશભરમાં આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એવામાં આણંદની એલિકોન કંપની વિવાદમાં આવી છે. આંબેડકર જયંતીના દિવસે કંપની કમ્પાઉન્ડમાં આવેલ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરતા રોકવામાં આવ્યા હતા. બંધારણના શિલ્પીના જન્મ દિવસે જ બંધારણીય હકોનું ચીર હરણ થતું જોવા મળ્યું હતું. કંપનીની અંદર આવેલી સરકારી જમીન પર આવેલ તળાવ પાસે વસ્તી રહેતી હતી.

