ભરુચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર ખરોડ ચોકડી નજીક કોસંબા નજીક અકસ્માત સર્જાયો હતો. મોપેડ ઉપર કોલેજ જઈ રહેલા દઢાલ ગામના બે આશાસ્પદ યુવાનોને અજાણ્યા વાહનના ચાલકે અડફેટમાં લેતા બંન્ને યુવાનોના મોત નિપજ્યા હતાં. વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઇ ફરાર થઇ જતા પાનોલી પોલીસે તપાસ હાથ ધરી છે.

