Arvalli News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સતત આપઘાતના સમાચાર સામે આવી રહ્યા છે. આજે જ સુરતમાં રત્નકલાકારનો પરિવાર આર્થિક સંકળામણમાં આવી જતાં પરિવારના ત્રણ સભ્યોએ આપઘાત કર્યો હોવાના સમાચાર મળ્યા હતા ત્યારે અરવલ્લીમાંથી પણ કંઈક આ પ્રકારની જ ઘટના સામે આવી રહી છે. ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક પરિવાર વિખેરાયો છે.

