Home / Auto-Tech : How many ACs are sold in India with a population of 140 crore?

Tech News : 140 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં કેટલા AC વેચાય છે? જાણો અહીં 

Tech News : 140 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં કેટલા AC વેચાય છે? જાણો અહીં 

દર વર્ષે જેમ જેમ ઉનાળો નજીક આવે છે તેમ તેમ એસી બનાવતી કંપનીઓનું વેચાણ વધવા લાગે છે, પરંતુ શું તમે જાણો છો કે 140 કરોડની વસ્તી ધરાવતા દેશમાં દર વર્ષે કેટલા એસી વેચાય છે? તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓએ બધાને ચોંકાવી દીધા છે, ભારતની વસ્તી 140 કરોડ છે પરંતુ ગયા વર્ષે ફક્ત 14 મિલિયન (લગભગ 1 કરોડ 40 લાખ) એસી વેચાયા હતા. ભારતમાં એસી માર્કેટ ઝડપથી વધી રહ્યું છે, પરંતુ વસ્તીની તુલનામાં તેનો વિકાસ હજુ પણ ધીમો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જે માહિતી સામે આવી છે તે એ પણ દર્શાવે છે કે હાલમાં પણ ફક્ત 7 ટકા લોકોના ઘરમાં એસી લાગેલ છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. હવે અહીં પ્રશ્ન એ છે કે શું એર કન્ડીશનર હજુ પણ લોકો માટે સ્ટેટસ સિમ્બોલ છે કે પછી કોઈ બીજું કારણ છે?

ACના ઓછા વેચાણનું કારણ શું છે?

વસ્તીની સરખામણીમાં એસીના ઓછા વેચાણ પાછળ કિંમત પણ એક મોટું કારણ હોઈ શકે છે. કેટલાક લોકો એવું વિચારી શકે છે કે 30-40 હજાર રૂપિયાનું એસી ખરીદવાને બદલે 10 હજાર રૂપિયાના બજેટમાં એર કુલર ખરીદવું અને બાકીના પૈસા રોકાણ કરવું વધુ સારું છે.

વેચાણ વધારવા માટે કંપનીઓ શું કરશે?

ગયા વર્ષે ભારતમાં 14 મિલિયન યુનિટ વેચાયા હતા, આ વર્ષે કંપનીઓ વેચાણ વધારવા માટે ગ્રાહકોને આકર્ષક ઑફર્સ આપી શકે છે. ફ્લિપકાર્ટ, એમેઝોન અને ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પર એસી ભારે ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ હોવા છતાં મજબૂત વેચાણ ન થવાનું કારણ શું છે? હાલમાં આ બાબત જાણી શકાય નથી.

કંપનીઓ પણ ગ્રાહકોને આકર્ષવા માટે 1 રૂપિયાના ડાઉન પેમેન્ટ સાથે AC ડીલ ઓફર કરે છે, કેટલાક લોકો આ તકનો પૂરો લાભ લે છે પરંતુ તેમ છતાં ભારતીય બજારમાં વસ્તી પ્રમાણે AC નું વેચાણ ઓછું કેમ છે? તે અંગે જાણી શકાયું નથી.

Related News

Icon