દાહોદ જિલ્લામાં ગરીબ મજૂરોને રોજગારી આપતી મનરેગા યોજનામાં 100 કરોડ કરતાં ય વધુનો ભ્રષ્ટાચાર કરનારાં મંત્રીપુત્ર કિરણ પટેલની પણ પોલીસે ધરપકડ કરી છે. બન્ને પુત્રોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરતાં કૃષિ રાજ્યમંત્રી બચુ ખાબડ પણ સંપર્ક વિહોણા થયા છે. કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થતાં હવે બચુ ખાબડનું મંત્રીપદેથી રાજીનામુ લેવાશે કે નહીં તે અંગે રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે.

