Banaskantha News: ગુજરાત પોલીસે ચોર તસ્કરો સહિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. એવામાં બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેમાં ભંગારના 2 ફેરિયાઓ દ્વારા રેલવે ટ્રેક પર પાટાની ક્લિપો કાઢી નાખવાનો મામલો સામે આવ્યો છે. રેલવેની પેટ્રોલિંગ ટીમ દ્વારા સમય સૂચકતા વાપરીને તાત્કાલિક સમસ્યાનું નિવારણ લાવી હતી જેને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

