દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે બિહારમાં વિધાનસભા ચૂંટણીને લઇને મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે કહ્યું કે પાર્ટી બિહારમાં એકલા પોતાના દમ પર ચૂંટણી લડશે.દિલ્હીમાં પત્રકાર પરિષદમાં સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ પાર્ટી સાથે આમ આદમી પાર્ટીનું કોઇ ગઠબંધન નથી. INDIA ગઠબંધન લોકસભા ચૂંટણી માટે જ હતું.

