Botad news: બોટાદ પંથકમાં છેલ્લા બે દિવસથી ચોમાસાના આગમન ટાણે અતિવૃષ્ટિ સર્જાઈ હતી. જેથી અનેક નદી-નાળા અને કોઝ-વે વરસાદી પાણીમાં ભરાઈ જતા તૂટી જવાની ઠેર-ઠેર ઘટનાઓ સામે આવી હતી. બોટાદના રાણપુરથી નાગનેશ જતા રસ્તામાં કોઝ-વે નાળા તૂટી જતા તંત્રની ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડીને સામે આવી છે. હજી ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થાય તે પહેલા તંત્રની પ્રી-મૉન્સૂનની કામગીરી શૂન્ય અને તેમાં પણ ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો છે. જેથી ચોમાસું શરુ થાય તે પહેલા નવો કોઝ-વે બનાવવાની માંગ ઉઠી છે.

