વડોદરાના સાવલી તાલુકામાં જર્જરિત બ્રિજની સ્થિતિ ચિંતાજનક બની છે. GSTVના રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે, ટુંડાવ, અંજેસર-રાણીયા, બહુથા, મેસરી, કરડ નદી, સાંઢા-સાલ અને સમલાયા-જરોદ રોડ પરના બ્રિજમાંથી કેટલાકમાં પાળીના સળિયા બહાર નીકળી ગયા છે, જ્યારે અમુક બ્રિજ બિસ્માર હાલતમાં છે. આમાંથી ઘણા બ્રિજ દાયકાઓ જૂના હોવાથી તેમનું સ્ટેબિલિટી ચેક જરૂરી છે.
જણાવી દઈએ કે પાદરામાં મહીસાગર નદી પરના ગંભીરા બ્રિજના ધરાશાયી થવાથી 15 નિર્દોષ નાગરિકોના મોત થયા છે, જે બાદ સાવલીના કેટલાક બ્રિજની સ્થિતિ પર સવાલો ઉઠ્યા છે.