ઉત્તરાખંડની અલકનંદા નદીમાં ટેમ્પો ટ્રાવેલર ખાબક્યો હતો. આ ટ્રાવેલરમાં 18થી 20 લોકો બેઠાં હતાં, જેમાંથી 3 લોકોના મોત થયા છે. અકસ્માતનો ભોગ બનેલી ટેમ્પો ટ્રાવેલરમાં સુરતનો સોની પરિવાર મુસાફરી કરતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં એક ટ્રાવેલર્સ કંપનીની ટેમ્પો ટ્રાવેલર બસ અલકનંદા નદીમાં ખાબકી છે. આ અકસ્માત ધોલથીર બદ્રીનાથ હાઈવે પર થયો હતો. આ બસમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 18થી 20 લોકો મુસાફરી કરી રહ્યાં હતાં. અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે, જેમાં એક ગુજરાતી સામેલ છે. 8 લોકો ઈજાગ્રસ્ત છે, જ્યારે 9 લોકો ગુમ છે.

