દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું બુધવારે મોડી રાત્રે નિધન થયું હતું. પદ્મ વિભૂષણ પુરસ્કાર વિજેતા રતન ટાટાએ 86 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રાત્રે 11:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યું કે, રતન ટાટાનું નિધન માત્ર ટાટા ગ્રૂપ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે મોટી ખોટ છે. મેં આજે એક પ્રિય મિત્ર ગુમાવ્યો છે.

