L&Tના ચેરમેન એસએન સુબ્રહ્મણ્યનની અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ પર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયાથી લઈને સેલિબ્રિટીઝ સુધી, એસએન સુબ્રહ્મણ્યન પર પ્રહાર કરી રહ્યા છે. ત્યારે હવે જાણીતા બેઝનેસમેન મહિન્દ્રા ગ્રુપના ચેરેમન આનંદ મહિન્દ્રાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, તેઓ કામની ક્વોલિટીમાં વિશ્વાસ રાખે છે, ન કે તેની ક્વોન્ટેટીમાં.

