
ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની કંપની યંત્ર ઈન્ડિયા લિમિટેડે આઈટીઆઈ અને નોન આઈટીઆઈ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. તેમાં કુલ 4039 જગ્યાઓ ખાલી છે. ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી માટે આ જગ્યાઓ પર ભરતી થવાની છે. નોન-આઈટીઆઈ માટે 1463 અને આઈટીઆઈ પાસ કેટેગરીની 2576 ભરતીઓ છે. આના દ્વારા ભારત સરકારના ફ્લેગશિપ પ્રોગ્રામ સ્કીલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવાનું છે.
તમને જણાવી દઈએ કે ટ્રેડ એપ્રેન્ટિસની 58મી બેચ માટે ઓનલાઈન એપ્લિકેશન પોર્ટલ 21 ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. એપ્રેન્ટિસશીપી વેબસાઇટ પર અરજી કરનારા ઉમેદવારોએ હવે recruit-gov.com પર જઈને અરજી કરવાની રહેશે. અરજીઓ માટેની છેલ્લી તારીખ 21 નવેમ્બર 2024 સુધીની રહેશે.