સુરત મહાનગરપાલિકા દ્વારા પાલતુ શ્વાનના માલિકો માટે નવા નોટિફિકેશન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેનો હવે ભારે વિરોધ શરૂ થયો છે. ડોગ્સ ઓનર એન્ડ વેલ્ફેર કમીટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી સૂચના આપવામાં આવી છે કે પાલિકા દ્વારા લાગુ કરાયેલા નિયમો મનમાની અને બિનકાયદેસર છે.

