ચૈત્રી નવરાત્રિ હિન્દુઓ માટે પવિત્ર તહેવાર માનવામાં આવે છે. આ વર્ષે 30 માર્ચથી ચૈત્રી નવરાત્રિના પર્વે મા અંબાના દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે. જેને લઈને ભક્તોની ભારે ભીડ જામે છે. એવામાં શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે પાવાગઢ અને અંબાજીમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

