સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વર્ષા વિભાગ-1માં આજે વહેલી સવારે એક જૂનવાણી અને જર્જરિત મકાન અચાનક ધરાશાય ગયું હતું. અવાજ સાંભળીને આસપાસના રહેવાસીઓ દોડી આવ્યા હતા. સ્થળ ઉપર ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે મકાન ધરાશાય ત્યારે અંદર કોઈ હાજર ન હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.

