Mallikarjun Kharge : કોંગ્રેસ પાર્ટી દ્વારા 64 વર્ષ બાદ ગુજરાતમાં અમદાવાદ ખાતે આજથી રાષ્ટ્રીય અધિવેશન શરૂ થયુ છે. ત્યારે પ્રથમ દિવસે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સરદાર પટેલ અને તેના વારસા મુદ્દેની લડતની આગને ફરી પ્રજ્વલિત કરી હતી. સરદાર-નહેરુનો મુદ્દો ફરી છંછેડતા આક્ષેપ લગાવ્યો હતો કે, સંઘ અને ભાજપ નેહરૂ અને સરદાર પટેલને એક બીજાના દુશ્મન તરીકે ચિતરી રહ્યા છે. પરંતુ ખરેખર સરદાર પટેલ અને જવાહરલાલ નેહરૂ એક સિક્કાની બે બાજુ સમાન છે.

