Junagadh news: ગુજરાતમાં નૈઋત્યના ચોમાસા આગમન અગાઉ જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી રાજ્યના મુખ્યમંત્રીએ ઍલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાની સૂચના આપી છે. હવામાન વિભાગની આગાહીને પગલે જૂનાગઢ, માંગરોળ પંથકમાં માછીમારોને દરિયામાં માછીમારી કરવા ન જવાની સૂચના આપી છે. ઉપરાંત તમામ બોટને પરત દરિયા કિનારે પરત બોલાવી લેવા આદેશ આપ્યો છે.

