Delhi IMD: અત્યારે દેશની રાજધાની દિલ્હી-એનસીઆરના લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત છે. આકરો તડકો અને ભેજથી લોકોની હાલત ખરાબ છે. જલ્દી જ લોકોને આનાથી રાહત મળવાની છે. આગામી 48 કલાકમાં મૉન્સૂન દિલ્હી-એનસીઆરમાં સત્તાવાર રીતે બેસી જશે. જે બાદ વરસાદ વરસવાનો શરૂ થશે. હવામાન વિભાગે દિલ્હી-એનસીઆરમાં મૉન્સૂનને લઈ એલર્ટ પણ જાહેર કરી દીધું છે.

