રાજકોટ જિલ્લામાં ધોરાજી શહેરની ખાનગી વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની ઘોર બેદરકારી બહાર આવી છે. એક મહિલાને પ્રસુતિ માટે એડમિટ કર્યા બાદ ડોક્ટરની અણઆવડતને કારણે મહિલાનું મોત નિપજ્યું હતું. ડોક્ટર સામે ઘોર બેદરકારીની પરિવારે અનેક જગ્યાએ ફરિયાદ કરી છે. ત્રણ મહિનાથી વધુ સમય થયો છે તેમ છતાં ન્યાય માટે પરિવાર ઝઝુમી રહ્યો છે.

