આજે દેશભરમાં વૈશાખ મહિનાની પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે, હિન્દુ ધર્મમાં આ પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ પૂર્ણિમા ચંદ્ર, સૂર્ય, ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે છે, શાસ્ત્રોમાં કહેવાય છે કે, આ પૂર્ણિમા યમરાજને પણ પ્રિય છે અને આ દિવસે તેઓ પૃથ્વીવાસીઓને અકાળ મૃત્યુથી બચવા માટે આશીર્વાદ આપે છે, પરંતુ તે માટે તેમને પ્રસન્ન કરવા ખાસ ઉપાય કરવા જોઈએ.

