Home / Entertainment : Aamir Khan gave update on Mahabharat

'Mahabharat' ફિલ્મમાં Aamir Khan એક્ટિંગ કરશે કે નહીં? એક્ટરે પોતે આપ્યો જવાબ

'Mahabharat' ફિલ્મમાં Aamir Khan એક્ટિંગ કરશે કે નહીં? એક્ટરે પોતે આપ્યો જવાબ

મહાભારત (Mahabharat) ફિલ્મને લઈને આમિર ખાન (Aamir Khan) ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને આમિર ઘણા સમયથી પ્લાનિંગ કરી રહ્યો હતો. ફિલ્મ અંગે ઘણી અફવાઓ પણ આવી છે, પરંતુ હવે આમિર (Aamir Khan) એ પોતે આ વિશે વાત કરી છે. તેણે કહ્યું કે, "ફિલ્મ મહાભારત (Mahabharat) મારો સૌથી મોટો પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે, હું આ વર્ષથી તેના પર કામ શરૂ કરી દઈશ." પરંતુ તેનું કહેવું છે કે, "મને હજુ ખબર નથી કે હું તેમાં અભિનય કરશે કે નહીં."

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મહાભારત વિશે આમિર ખાને શું કહ્યું?

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં આમિર (Aamir Khan) એ કહ્યું, "હું આ વર્ષથી જ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી રહ્યો છું. ફિલ્મોની જેમ મહાભારતને પણ વિવિધ ભાગોમાં બનાવવામાં આવશે, જેમ કે, 'લોર્ડ ઓફ ધ રિંગ્સ'. પરંતુ લખવામાં થોડો સમય લાગશે."

ફિલ્મમાં હશે એકથી વધુ દિગ્દર્શકો

આમિર (Aamir Khan) એ કહ્યું કે, હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ કે, તે મહાભારત (Mahabharat) માં કામ કરશે કે નહીં. અને રોલ પ્રમાણે ટીમ કલાકારોને નક્કી કરશે. હવે એ જોવાનું રહ્યું કે, કોણ ક્યા ભાગ માટે પરફેક્ટ છે. તેણે એમ પણ કહ્યું, કે તે આ ફિલ્મનું દિગ્દર્શન નહીં કરે કારણ કે તે એક મોટો પ્રોજેક્ટ હશે. આ એક મલ્ટી-ડિરેક્ટર પ્રોજેક્ટ હશે.

Related News

Icon