Home / Entertainment : Alia Bhatt thanks Indian Army amid India-Pakistan tensions

'આ બહાદૂરી નહીં, બલિદાન છે', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આલિયા ભટ્ટે ઇન્ડિયન આર્મીનો આભાર માન્યો

'આ બહાદૂરી નહીં, બલિદાન છે', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આલિયા ભટ્ટે ઇન્ડિયન આર્મીનો આભાર માન્યો

પહેલગામ હુમલા બાદ ભારતે Operation Sindoor દ્વારા આ આતંકી હુમલાનો બદલો લઇ લીધો છે. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો અને બન્ને દેશ યુદ્ધ સુધી પહોંચી ગયા હતા. જોકે, અમેરિકાની મધ્યસ્થીથી ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરવામાં આવ્યું હતું. હવે બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ઇન્ડિયન આર્મીનો આભાર માનતા એક પોસ્ટ શેર કરી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આલિયા ભટ્ટે ઇન્ડિયન આર્મીનો માન્યો આભાર

આલિયા ભટ્ટે ઇંસ્ટાગ્રામ પર લખ્યુ, "છેલ્લી કેટલીક રાતો... અલગ જ અનુભવાઈ છે. જ્યારે કોઈ રાષ્ટ્ર શ્વાસ રોકે છે ત્યારે હવામાં એક પ્રકારની શાંતિ હોય છે અને છેલ્લા કેટલાક દિવસોમાં, આપણે તે શાંતિ અનુભવી છે. તે શાંત ચિંતા. દરેક વાતચીત પાછળ, દરેક સમાચાર પાછળ, સૂચના પાછળ, દરેક રાત્રિભોજનના ટેબલની આસપાસ તે તણાવ. અમને લાગ્યું છે કે પર્વતોમાં ક્યાંક, આપણા સૈનિકો જાગતા, સતર્ક અને ખતરામાં છે."

આલિયા ભટ્ટે આગળ લખ્યું, “જ્યારે આપણામાંથી મોટાભાગના લોકો આપણા ઘરોમાં ફસાયેલા છે, ત્યારે આવા પુરૂષો અને મહિલાઓ જે અંધારામાં ઉભા છે, પોતાની ઊંઘ ત્યાગીને આપણી રક્ષા કરી રહ્યાં છે, પોતાના જીવ આપી રહ્યા છે અને એ જ સત્ય છે. આ તમારા માટે છે. કારણ કે તમે સમજો છો કે તે ફક્ત બહાદૂરી નથી, તે એક બલિદાન છે અને દરેક યુનિફોર્મ પાછળ એક માતા છે જે ઊંઘી નથી. એક માતા જે જાણે છે  કે તેનું બાળક લોરિયોની રાત નહીં પણ અનિશ્ચિતતા, તણાવની રાતનો સામનો કરી રહ્યો છે. એક એવા મૌનનો સામનો કરી રહ્યો છે જે એક ક્ષણમાં તૂટી શકે છે."

આલિયા ભટ્ટે લખ્યુ, "રવિવારે આપણે મધર્સ ડે ઉજવ્યો અને જ્યારે ફૂલોનું વિતરણ કરવામાં આવતું હતું અને લોકો ગળે મળતા હતા તો હું તે માતાઓ વિશે વિચારતા ખુદને રોકી ના શકી જેમને નાયકોને ઉછેર્યા અને  તેમના ગૌરવને થોડી વધુ શક્તિથી જાળવી રાખ્યું. અમે તે લોકોના જીવનનો શોક મનાવીએ છીએ જેને ગુમાવી દીધા છે, સૈનિક જે ક્યારેય ઘરે પરત નહીં ફરે, જેમનું નામ હવે આ દેશની આત્મામાં અંકિત છે, તેમના પરિવારોને દેશની કૃતજ્ઞતામાં શક્તિ મળે માટે આજની રાત અને આગળની દરેક રાત, અમે તણાવથી ઉભી થનારી શાંતિને ઓછી કરીને અને શાંતિથી પેદા થનારી શાંતિની આશા કરીએ છીએ. પ્રાર્થના કરનારાઓ, આંસૂ રોકનારા દરેક માતા-પિતાને પ્રેમ મોકલીએ છીએ કારણ કે તમારી તાકાત આ દેશને તેનાથી ક્યાય વધારે આગળ લઇ જાય છે જેટલું તમે ક્યારેય નહીં જાણી શકો, અમે એક સાથે ઉભા છીએ. આપણા રક્ષકો માટે, ભારત માટે. જય હિન્દ.."

Related News

Icon