Home / Entertainment : Anant Ambani and Radhika Merchant's collection is satisfying people of all walks of life.

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો ભંડારો, દરેક વર્ગના લોકોને આપી રહ્યો છે સંતુષ્ટિ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો ભંડારો, દરેક વર્ગના લોકોને આપી રહ્યો છે સંતુષ્ટિ

સામાન્ય રીતે, અંબાણી પરિવાર ભવ્યતા અને ગ્લેમરની દુનિયા સાથે સંકળાયેલો છે, પરંતુ આ વખતે આ પરિવાર તેમના હૃદયસ્પર્શી પગલાને કારણે વધુ ચર્ચામાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા એન્ટીલિયામાં જે રીતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તે બધાનું ધ્યાન ખેંચી રહ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ ભંડારો એક એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા અનંત અને રાધિકાએ તેમના જીવન મૂલ્યોની ઝલક બતાવી છે. આ કાર્યક્રમનું આયોજન કરવું એ માત્ર એક મોટી જવાબદારી નથી, પરંતુ તેની સાથે ઊંડી લાગણીઓ પણ જોડાયેલી છે.

દરરોજ, એન્ટિલિયામાં વિવિધ ક્ષેત્રોના હજારો લોકો માટે ભંડારનું આયોજન કરવામાં આવે છે.  મળતી માહિતી મુજબ ભંડારામાં દરરોજ હજારો લોકોને ભોજન કરાવવામાં આવે છે. તે ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અને નવા યુગલના સુખી ભાવિ માટે આશીર્વાદ મેળવવાનો એક માર્ગ છે. ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયેલા એક વીડિયો અનુસાર ભંડારામાં વેજ પુલાઓથી લઈને ઢોકળા સુધી વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી રહી છે. વિવિધ પ્રકારની પરંપરાગત ભારતીય વાનગીઓથી ભરપૂર, ફૂડ મેનૂ વિવિધ સ્વાદ સાથે સર્વ કરવામાં આવે છે. અહી એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે દરેક વ્યક્તિ પોતાની પસંદગી મુજબ ખાવાનું પસંદ કરી શકે. અને સંતુષ્ટ મન સાથે ત્યાંથી જઇ શકે.

12 જુલાઈના રોજ લગ્ન 

આ દંપતી આજે 12 જુલાઈના રોજ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC) સ્થિત Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં મિત્રો, પરિવારજનો, બોલિવૂડની હસ્તીઓ અને રાજકારણીઓની વચ્ચે લગ્ન કરશે. ભંડારા દ્વારા સમાજના તમામ વર્ગના લોકોને ખવડાવવાનું પગલું આપણને યાદ અપાવે છે કે વ્યક્તિની સંપત્તિનું મૂલ્ય કેટલું છે? 

Related News

Icon