Home / Entertainment : Bollywood film makers are in a race to make movie on Operation Sindoor

બોલિવૂડમાં 'Operation Sindoor' પર ફિલ્મ બનાવવા માટે રેસ, 15 મેકર્સે નામ રજીસ્ટર કરાવવા માટે મોકલી અરજી

બોલિવૂડમાં 'Operation Sindoor' પર ફિલ્મ બનાવવા માટે રેસ, 15 મેકર્સે નામ રજીસ્ટર કરાવવા માટે મોકલી અરજી

ભારતીય સશસ્ત્ર દળોના 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) માં માત્ર આતંકવાદીઓના ઠેકાણાઓને જ નિશાન નથી બનાવ્યા, પરંતુ પાકિસ્તાનના આત્મઘાતી ડ્રોન અને મિસાઈલોને પણ તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય સેનાની આ હિંમતભરી કાર્યવાહીએ સમગ્ર દેશને ઉત્સાહથી ભરી દીધો છે. ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના અનેક શહેરો પર પણ બદલો લેવા માટે હુમલા કર્યા. હવે, સરહદ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે, તેની અસર ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. ઘણા બોલિવૂડ ફિલ્મ મેકર્સ 7 મે 2025ના રોજ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓ પર થયેલા હુમલાની વાર્તાને સ્ક્રીન પર લાવવા માટે ઉત્સુક છે. 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) વિશે બોલિવૂડમાં ઉત્સાહનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે 15 બોલિવૂડ સ્ટુડિયો અને ફિલ્મ મેકર્સ ટાઈટલના રજીસ્ટ્રેશનની રેસમાં છે. આ ઓપરેશન પહેલગામ આતંકવાદી હુમલાનો જવાબ હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

આ રેસમાં કોણ કોણ સામેલ છે?

એક અહેવાલ મુજબ, મહાવીર જૈનની કંપનીએ રાજકારણ, રોમાંચ, લશ્કરી હિંમત અને મહિલા શક્તિની વાર્તા કહેવા માટે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) ટાઈટલ રજીસ્ટર કરાવવા માટે સૌપ્રથમ અરજી કરી હતી. આ પછી, ટી-સિરીઝ, ઝી સ્ટુડિયો જેવા ફિલ્મ મેકર્સ અને દિગ્દર્શકો મધુર ભંડારકર અને અશોક પંડિત પણ આ રેસમાં જોડાયા. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) ના પ્રમુખ બીએન તિવારીએ જણાવ્યું હતું કે 'ઓપરેશન સિંદૂર' માટે અત્યાર સુધીમાં 15થી વધુ અરજીઓ મળી છે અને ટૂંક સમયમાં ટાઈટલ પર નિર્ણય લેવામાં આવશે.

ભારતીય સેનાની હિંમત દેખાડવા માટે બોલિવૂડ આતુર છે

'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) નું ટાઈટલ રજીસ્ટર કરાવવાની રેસ બોલીવૂડની એક પરંપરાને પ્રતિબિંબિત કરે છે, જ્યાં દેશભક્તિ અને લશ્કરી કામગીરી પર આધારિત ફિલ્મો જેમ કે ઉ'રી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' અને 'શેરશાહ' એ દર્શકોનું મન જીતી લીધું છે. હવે બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) દ્વારા સેનાની હિંમત અને મહિલા શક્તિને દર્શકો સમક્ષ રજૂ કરવા આતુર છે.

'ઓપરેશન સિંદૂર' નું મહત્વ

'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) 7 મે 2025ની રાત્રે શરૂ થયું હતું અને 25 મિનિટ સુધી ચાલ્યું હતું, જેમાં 24 મિસાઈલોથી નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હતો. આમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોના ઠેકાણાઓનો પણ સમાવેશ થતો હતો. આ હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. ભારતે સ્પષ્ટતા કરી હતી કે હુમલો ચોક્કસ અને ઉશ્કેરણી વગરનો હતો અને તેમાં પાકિસ્તાની લશ્કરી સ્થાપનોને નિશાન નહતા બનાવવામાં આવ્યા. આ કાર્યવાહી 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી.

'ઓપરેશન સિંદૂર' ને લઈને બોલિવૂડ ઉત્સાહિત છે

ઘણા બોલિવૂડ સ્ટાર્સે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) વિશે ખુશી વ્યક્ત કરી છે અને હવે ફિલ્મ મેકર્સ આ ઓપરેશન પર ફિલ્મ બનાવવા માટે ઉત્સાહિત છે. મધુર ભંડારકર જેવા દિગ્દર્શકો આ ઓપરેશન પર ફિલ્મ બનાવવા માંગે છે. 'બોર્ડર' (1997) અને 'રાઝી' (2018) જેવી ફિલ્મોની સફળતાને જોતા, મેકર્સ માને છે કે 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) પણ દર્શકોને થિયેટરોમાં ખેંચી શકે છે. 

Related News

Icon