Home / Entertainment : Uproar over these scenes in L2 Empuraan CBFC takes a dig

'એલ2: એમ્પુરાન' પર ફરી CBFCની કાતર, 17 ફેરફાર કરવાનો આપ્યો આદેશ, આ સીન મુદ્દે થયો હતો હોબાળો

'એલ2: એમ્પુરાન' પર ફરી CBFCની કાતર, 17 ફેરફાર કરવાનો આપ્યો આદેશ, આ સીન મુદ્દે થયો હતો હોબાળો

પૃથ્વીરાજ સુકુમારનના ડાયરેક્શનમાં બનેલી મોહનલાલ, તોવિનો થોમસ અને મંજૂ વોરિયર સ્ટારર 'એલ2: એમ્પુરાન' બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. આ પેન ઈન્ડીયા ફિલ્મ છે, જેણે ઓપનિંગ ડે પર 21.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ત્રણ દિવસમાં ફિલ્મે 45 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કરી લીધું છે. ફિલ્મને ભલે ઓડિયન્સનો સારો રિસ્પોન્સ મળી રહ્યો હોય, પરંતુ તેને લઈને વિવાદ પણ શરૂ થઈ ગયો છે. પૃથ્વીરાજ સુકુમારન પર હિંદુઓ વિરોધી હોવાનો અને પ્રોપેગેન્ડા ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન એટલે કે CBFCએ ફિલ્મમાં ગુજરાત રમખાણોના સીન પર વિવાદ થતા સખત એક્શન લીધી છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

CBFC એ મોહનલાલ અને પૃથ્વીરાજ સુકુમારની 'એલ2: એમ્પુરાન'માં 17 ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે. રિપોર્ટમાં સૂત્રોના હવાલે કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ બાદ કેરલમાં CBFC ઓફિસે ફિલ્મની સમીક્ષા કરી અને ટીમને ફિલ્મ એડિટ કરવા માટે કહ્યું. 

જો 'એલ2: એમ્પુરાન' નું એડિટેડ વર્જન સોમવાર સુધી રજૂ કરવામાં આવે છે, તો ફિલ્મને આગામી થોડા દિવસોમાં સ્ક્રીનિંગ માટે મંજૂરી મળવાની આશા છે. રિપોર્ટ અનુસાર ફિલ્મના નિર્માતાઓએ ફેરફાર કરવા પર સહમતિ દર્શાવી છે. નિર્માતા ગોપાલએ જણાવ્યું હતું કે ફિલ્મના કોઈ સીન અથવા ડાયલોગ્સથી ઠેસ પહોંચી છે, તો તે તેમાં સુધારો કરશે. 

'એલ2: એમ્પુરાન'માં બતાવવામાં ગુજરાત રમખાણોના સીન

ગોપાલને કહ્યું કે તેમણે  'એલ2: એમ્પુરાન' ના ડાયરેક્ટર પૃથ્વીરાજ સુકુમારને ફેરફાર કરવાના નિર્દેશ આપ્યા છે. એએનઆઈ અનુસાર ફિલ્મની પ્રોડક્શન ટીમ રમખાણોના સીન અને મહિલાઓના વિરૂદ્ધ હિંસા સાથે સંકળાયેલા સીન્સને પણ એડિટ કરશે. ફિલ્મમાં 2002ના ગુજરાત રમખાણોનો એક લાંબો સીન છે. તેમાં એક ગુનેગારને મુખ્ય નાયકના રૂપમાં બતાવવામાં આવ્યો છે. સંવેદનશીલ મુદ્દાના ચિત્રણે કેરલમાં રાજકીય ઉથલ-પાથલ ઉભી કરી છે. 

'એલ2: એમ્પુરાન'એ 2 દિવસમાં કરી 100 કરોડની કમાણી, રચ્યો ઈતિહાસ

સેકનિલ્કના રિપોર્ટ અનુસાર 'એલ2: એમ્પુરાન' ફક્ત બે દિવસમા વૈશ્વિક સ્તર પર સૌથી ઝડપી 100 કરોડના આંકડાને પાર કરનારી મલયાલમ ફિલ્મ બની ગઈ છે. તેણે ઓવરસીઝ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર મલયાલમ ફિલ્મ બનવાનો ઈતિહાસ પણ રચ્યો છે. આ ફિલ્મ લૂસિફરની સીક્વલ છે. 

TOPICS: controversy
Related News

Icon