વડોદરા જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ ચંદુભાઇ પરમારે ગંભીરા બ્રિજના સમારકામને લઇને સંબંધિત તમામ વિભાગોને પત્ર લખીને જાણ કરી હતી. આર એન્ડ બી ડીપાર્ટમેન્ટને પત્ર લખ્યો હતો. આ ઉપરાંત મોરબી બ્રિજ દુર્ઘટના કેસ પછી કલેક્ટરને પણ પત્ર લખી બ્રિજના સમારકામ માટે જાણ કરતો પત્ર લખ્યો હતો. પરંતુ તેમના પત્રની કોઈ ખાસ નોંધ લેવાઈ નહોતી. કલેક્ટર કચેરી તરફથી પણ આર એન્ડ બીને તપાસ કરીને યોગ્ય પગલાં ભરવા પત્ર લખાયો હતો. તંત્ર દ્વારા અંદરોઅંદર ખાલી પત્ર પત્ર રમીને લોકોના જીવ સાથે ખેલ ખેલાયો છે.

