રાંધણગેસના બાટલાના ભાવમાં રૂ. 50ના તોતિંગ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગને કમ્મરતોડ ફટકો પડ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીમાં રોજ બરોજ પીસાતો જ જાય છે. રોજ બરોજ રોજિંદી ચીજ વસ્તુઓના ભાવ આસમાનને આંબતા થઇ ગયાં છે. આવી કારમી મોંઘવારીમાં ઘર ચલાવવું દુષ્કર બની ગયું છે. તેમ કહીને સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

