અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી IPL 2025 મેચને કારણે GMRCએ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં 2 મે એટલે કે આજે અને 14મી મેના રોજ યોજાનારી મેચને લઈને મેટ્રો ટ્રેન સેવાઓનો વર્તમાન સમય સવારે 6:20થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. જે રાત્રે 12:30 વાગ્યા સુધીના લંબાવ્યો છે.

