
ગુજરાત સમાચાર-GSTV કેમ્પસમાં IT-ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા 48 કલાકમાં ગુજરાત સમાચાર અને GTTV પર IT-EDના દરોડા બાદ રાહુલ ગાંધી, કેજરીવાલ સહિતના નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
સત્તાને હકીકત બતાવનાર અખબારને દબાવવાનો પ્રયાસ-રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કરતા લખ્યુ કે, ગુજરાત સમાચારને ચૂપ કરાવવાનો પ્રયાસ એ ફક્ત એક અખબારનો નહીં પરંતુ સમગ્ર લોકશાહીનો અવાજ દબાવવાનું બીજું કાવતરૂં છે. જ્યારે સત્તાને જવાબદાર ઠેરવતા અખબારોને તાળી મારી દેવામાં આવે છે, ત્યારે સમજો કે લોકશાહી ખતરામાં છે. બાહુબલી શાહની ધરપકડ એ જ ડરની રાજનીતિનો એક ભાગ છે, જે હવે મોદી સરકારની ઓળખ બની ગઇ છે. દેશ ન તો લાકડીઓથી ચાલશે કે ન તો ભયથી- ભારત સત્ય અને બંધારણથી ચાલશે.
https://twitter.com/RahulGandhi/status/1923296299291734190
લોકોનો અવાજ દબાવવાનો પ્રયાસ- પ્રિયંકા ગાંધી વાડ્રા
પ્રિયંકા ગાંધી વાડ્રાએ X પર પોસ્ટ કરતા લખ્યુ કે, એવું લાગે છે કે ગુજરાતના અગ્રણી અખબાર 'ગુજરાત સમાચાર' પર દરોડો અને તેના ડિરેક્ટર બાહુબલી ભાઈ શાહજીની ધરપકડ એ લોકોનો અવાજ છીનવી લેવાનો વધુ એક પ્રયાસ છે.શું ભાજપ સરકાર ઇચ્છે છે કે દેશમાં કોઈ વિપક્ષ ન હોય, કોઈ મીડિયા ન હોય અને જનતા વતી કોઈ પ્રશ્ન ઉઠાવનાર ન હોય?તેમણે યાદ રાખવું જોઈએ કે ભારત એક બંધારણીય લોકશાહી છે જ્યાં લોકોના અવાજને દબાવી શકાતો નથી.
https://twitter.com/priyankagandhi/status/1923335010779807788
દેશ અને ગુજરાતની જનતા વહેલી તકે તાનાશાહીને જવાબ આપશે- કેજરીવાલ
AAPના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે લખ્યુ, GSTV પર IT અને EDના દરોડા અને પછી તેમના માલિક બહુબલીભાઇ શાહની ધરપકડ- આ બધું સંયોગ નથી. આ ભાજપની હતાશાની નિશાની છે, જે સત્ય બોલતા અને પ્રશ્નો પૂછતા દરેક અવાજને દબાવવા માંગે છે. દેશ અને ગુજરાતની જનતા આ સરમુખત્યારશાહીનો ખૂબ જ જલદી જવાબ આપશે.
https://twitter.com/ArvindKejriwal/status/1923257035174428762
સ્વતંત્ર મીડિયા પર દબાણ લોકશાહી માટે ઘાતક- ખડગે
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લખ્યુ, મોદીજીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું- “Criticism is the soul of Democracy (ટીકા એ લોકશાહીનો આત્મા છે). ગુજરાત સમાચાર એક 93 વર્ષ જૂનું સંગઠન છે, તેના વરિષ્ઠ સ્થાપક શ્રી બાહુબલી ભાઈ શાહજીની ED દ્વારા ધરપકડ કરાવીને, મોદીજીએ સાબિત કર્યું છે કે ટીકાકારોની ધરપકડ કરવી એ ભયભીત સરમુખત્યારની પહેલી નિશાની છે! જે કોઈ આ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવશે અને ભાજપ સાથે સમાધાન નહીં કરે, તેને જેલમાં જવું પડશે.સરકાર દ્વારા સ્વતંત્ર મીડિયા પર દબાણ લાવવામાં આવે છે અને તેનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવામાં આવે છે તે લોકશાહી માટે ઘાતક છે.
https://twitter.com/kharge/status/1923301887131922780
સચિન પાયલોટે શું લખ્યુ?
કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પણ આ મામલે ટ્વીટ કરતા લખ્યુ, "ગુજરાત સમાચાર પર EDના દરોડા અને માલિક બાહુબલી શાહની ધરપકડ એક દુર્ભાવનાપૂર્ણ પગલું છે.આ ભાજપ સરકારની નીતિઓના ટીકા કરનારા અવાજોને દબાવવાનો પ્રયાસ છે.લોકશાહીમાં પત્રકારત્ત્વનું પોતાનું મહત્ત્વનું સ્થાન છે અને સ્વતંત્રતા તેની ઓળખ છે. નિર્ભય પત્રકારત્ત્વ અને ટીકા કરવી એ મીડિયાનો અધિકાર છે."
સરકારનું આ વલણ માત્ર પ્રેસની સ્વતંત્રતા પર સીધો હુમલો નથી પરંતુ તે લોકશાહી મૂલ્યો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે પણ ગંભીર ખતરો છે.
https://twitter.com/SachinPilot/status/1923353265514655757
આજે ડરી ગયા તો ભાજપ વધારે ડરાવશે- આતિશી
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ ટ્વીટ કરતા લખ્યુ, " ગુજરાત સમાચાર" હંમેશા નિડર અને બેબાક અંદાજમાં સત્તાને સવાલ પૂછતું રહ્યું છે પરંતુ ગુજરાતની તાનાશાહી BJP સરકારને આ બધુ પસંદ આવ્યું નથી. આ કારણે ભાજપ સરકારે ગુજરાત સમાચાર પર IT વિભાગના દરોડા પડાવ્યા અને બાદમાં આ સંસ્થાના માલિક બાહુબલીભાઇ શાહની EDએ ધરપકડ કરી. ભાજપ સરકારની કાર્યવાહી તેમની તાનાશાહી અને લોકતંત્ર વિરોધી માનસિકતાને ઉજાગર કરે છે. આજે દેશની મીડિયાનું આ કર્તવ્ય બને છે કે તેમને આ સમાચારને પ્રાથમિકતા આપવી જોઇએ કારણ કે જો તે આજે ડરી ગયા તો સત્તા પર રહેલી ભાજપ તેમને વધારે ડરાવશે."
https://twitter.com/AtishiAAP/status/1923279147066892479
ગુજરાત સમાચાર અખબાર હંમેશા સત્તા સામે ઊભું રહ્યું છે- શક્તિસિંહ ગોહિલ
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પોસ્ટ કરતા લખ્યુ, "મીડિયાનો ધર્મ સત્ય માટે લડવાનું છે. ભાજપ સરકાર આવા ધર્મ નીભાવનારા મીડિયાને સજા આપતી રહે છે.ગુજરાત સમાચાર અખબાર હંમેશા સત્તા સામે ઊભું રહ્યું છે, પછી ભલે સત્તામાં કોઇ પણ હોય. જોકે, તાજેતરમાં ભારત-પાકિસ્તાન વિવાદમાં યુદ્ધવિરામ પર ભાજપ સરકાર અને પીએમ મોદીને અરીસો બતાવવા માટે, ગુજરાત સમાચાર પાછળ, મોદીએ તેમની પ્રિય ટૂલ કીટ બહાર કાઢી. આવકવેરા (IT) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુજરાત સમાચાર અખબાર, ટેલિવિઝન ચેનલ GSTV ઉપરાંત અન્ય વ્યવસાયિક સંસ્થાઓ પર દરોડા પાડ્યા છે. ગુજરાત સમાચારના માલિક બાહુબલીભાઈ શાહની ધરપકડ કરવામાં આવી છે. લગભગ ત્રણ અઠવાડિયા પહેલા સ્મૃતિબેનનું અવસાન થયું હતું અને જ્યારે IT અને EDના દરોડા પડ્યા ત્યારે પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. બાહુબલીભાઈ એક વરિષ્ઠ નાગરિક છે અને તેમને સ્વાસ્થ્ય સમસ્યાઓ છે. મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા આ અત્યાચારની હું સખત નિંદા કરું છું. દેશભરમાં પોતાનું કામ કરી રહેલા મીડિયાને નિર્દયતાથી નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ભાજપ સરકારે જાણવું જોઈએ કે દરેક મીડિયા ગોદી મીડિયા નથી હોતું અને પોતાનો આત્મા વેચવા તૈયાર નથી. હું #GujaratSamachar અને સત્તા સામે સત્ય બોલતા તમામ મીડિયા સાથે ઉભો છું. જય હિન્દ.
https://twitter.com/shaktisinhgohil/status/1923087940390887450
અમિત ચાવડાએ શું કહ્યું?
ગુજરાતમાં નરેન્દ્ર મોદીના અમૃતકાળ દરમિયાન ભ્રષ્ટ રાજકારણીઓ અને અધિકારીઓ, જમીન માફિયાઓ, ખાણ માફિયાઓ, કાળા નાણાં ધરાવતા લોકોના ઘરો પર ED, IT, GST ના દરોડા પડતા નથી, પરંતુ ED, IT, GST અને પોલીસ-પ્રશાસનના અધિકારીઓ તરત જ તે મીડિયા અને જાગૃત પત્રકારોના ઘરે પહોંચી જાય છે જેઓ ભ્રષ્ટાચાર, ભાજપના નેતાઓ અને સરકારની નિષ્ફળતાઓ અને જનતાની સમસ્યાઓ બોલે છે, લખે છે અને બતાવે છે.દેશની પરિસ્થિતિ એવી છે કે જાણે કોઈ નવું બ્રિટિશ શાસન શરૂ થયું હોય.ગુજરાતનું અગ્રણી અખબાર 'ગુજરાત સમાચાર' હંમેશા સરકારને જવાબદાર બનાવવા માટે કામ કરે છે.
અગાઉ, 'ગુજરાત સમાચાર'નું X હેન્ડલ પણ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું હતું, પરંતુ તેમ છતાં તેઓ સરકારના દબાણને વશ થયા ન હતા, તેથી દરોડા પાડીને તેમને દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.હવે સમય આવી ગયો છે કે સરકારના મનસ્વી કાર્યો સામે અવાજ ઉઠાવવામાં આવે, આપણે એક થઈને અવાજ ઉઠાવવો પડશે, સરકાર દ્વારા અન્યાય કરાયેલા લોકોને ન્યાય મેળવવા માટે લડવું પડશે. ભાજપ સરકારે તટસ્થ રહેનારા અને લોકોનો અવાજ ઉઠાવતા મીડિયાને દબાવવાની રાજનીતિ બંધ કરવી જોઈએ.
https://twitter.com/AmitChavdaINC/status/1923263404267143637
ઇસુદાન ગઢવીએ શું કહ્યું?
ગુજરાતના આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરતા લખ્યુ, "લોકશાહીનો ચોથો સ્તંભ મીડિયા છે.ગુજરાત સમાચાર હંમેશા સરકાર સમક્ષ નિર્ભય અને સ્પષ્ટ રીતે સવાલો ઉઠાવતા રહ્યા છે અને સરકાર પણ હંમેશા કોઈને કોઈ રીતે ગુજરાત સમાચારને હેરાન કરતી રહી છે જેથી ગુજરાત સમાચાર સરકારને પ્રશ્ન પૂછી ન શકે, છતાં આજ સુધી ગુજરાત સમાચારે તમારા કે મારા સુધી કોઈ ખોટા કે ભ્રામક સમાચાર પહોંચવા દીધા નથી.પહેલા, ગુજરાત સમાચારના વિવિધ સ્થળોએ IT દરોડા પાડવામાં આવ્યા હતા જે 36 કલાક સુધી ચાલ્યા હતા અને દરોડા પૂરા થતાં જ ED દરવાજા પર આવી ગઈ હતી. આ પછી, ગુજરાત સમાચારના માલિક બાહુબલી ભાઈ શાહની ધરપકડ કરવામાં આવી જે ભાજપ સરકારની કાયર માનસિકતાનો પર્દાફાશ કરે છે. સરકારના ઈશારે લેવાયેલા આ પગલાની હું સખત નિંદા કરું છું.આજે ભાજપ સરકાર લોકશાહીના ચોથા સ્તંભને નષ્ટ કરવા માટે ખુલ્લેઆમ હેરાન કરી રહી છે કારણ કે ભાજપ સરકારને સત્ય બોલનારા લોકો પસંદ નથી.
આ નેતાઓએ પણ આપી પોતાની પ્રતિક્રિયા
https://twitter.com/jigneshmevani80/status/1923103872903451036
https://twitter.com/Pawankhera/status/1923213652854767997
https://twitter.com/kcvenugopalmp/status/1923259808766919168
https://twitter.com/AapKaGopalRai/status/1923244243180548504
https://twitter.com/SanjayAzadSln/status/1923329869250703723
https://twitter.com/SupriyaShrinate/status/1923194799873536465