ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં સભ્ય તરીકે ભાજપના નેતા મનન દાણીની નિમણૂક કરવામાં આવી હતી. જેને લઇને કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીએ શિક્ષણ મંત્રીને મનન દાણીની નિયમ મુજબ નિમણૂક ના થઈ હોવાની ફરિયાદ કરી હતી. કોંગ્રેસ પ્રવક્તાની ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે મનન દાણીની નિમણૂક અંગે વધુ ખુલાસા માંગ્યા છે. જણાવી દઈએ કે, ગુજરાત યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કયા આધાર પર મનન દાણીની નિમણૂંક કરાઈ એની ઊંડાણપૂર્વક તપાસ થશે.

