
Gujarat News: હાલમાં દેશમાં અને રાજ્યમાં સર્જાયેલ આકસ્મિક પરિસ્થિતિ અને સંજોગોને ધ્યાનમાં લેતા આરોગ્યલક્ષી સેવાઓ નિરંતર રીતે કાર્યરત રહે તે ખુબ જ આવશ્યક છે. જેને અનુલક્ષીને રાજ્યની સરહદ પર આવેલા જીલ્લાઓમાં આરોગ્ય તબીબની આદેશ ન થાય ત્યાં સુધી બદલી કરવામાં આવી છે. જેમાં જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા, પાટણ અને કચ્છ ખાતે આ તબીબ અધિકારીઓને અન્ય આદેશ ન આવે ત્યાં સુધી જાહેર હિત માટે કામગીરી કરવાનો આદેશ આપ્યો છે.