
અમદાવાદમાં લંડન જતું એર ઇન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થતા 241 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં વિમાન બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની મેસ પર ક્રેશ થતા તેમાં ભોજન કરતા કેટલાક લોકોના પણ મોત થયા છે. આ ઘટનામાં મૃતકઆંક 275 સુધી પહોંચ્યો છે.આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું. આ ઘટના બાદ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ આવીને ઇજાગ્રસ્ત લોકોની સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા.