Home / Gujarat / Ahmedabad : AI-based CCTV cameras will be used to monitor the route of the Rath Yatra

રથયાત્રાના રૂટ પર AI આધારિત સીસીટીવી કેમેરાથી રખાશે બાજનજર

અમદાવાદમાં રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હજારોની સંખ્યામાં પોલીસ અને અર્ધસૈનિક દળોનો કાફલો શહેરમાં ફરજ બજાવી રહ્યો છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રથયાત્રાના બંદોબસ્તમાં અત્યાધુનિક એઆઈ આધારિત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પગલે રથયાત્રાના રૂટ પર જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર રૂટ પર બાજનજર રાખવામાં આવી રહી છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રથયાત્રાના બંદોબસ્તમાં અત્યાધુનિક એઆઈ આધારિત સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કેમેરા થકી કન્ટ્રોલ રૂમમાંથી સમગ્ર રૂટ પર ચાંપતી નજરે રાખવામાં આવશે.   

Related News

Icon