Ahemdabad Plane Crash News: અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા 241 મુસાફરોના મોત થયા છે. અમદાવાદ એરપોર્ટ પરથી લંડન માટે ઉડાન ભરતાની સાથે જ 50 સેકન્ડની અંદર જ વિમાન તૂટી પડ્યું હતું. એર ઇન્ડિયાના આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફરોના મોત થયાનો ન્યૂઝ એજન્સી AP એ દાવો કર્યો છે. મળતા સમાચારો મુજબ પ્લેનમાં સવાર તમામ મુસાફરોના મોત થયા છે. આ ઉપરાંત બીજે મેડિકલ હોસ્ટેલના કેટલાક વિદ્યાર્થીઓના પણ મોત થયાના સમાચાર છે. ફાયર બ્રિગેડની ટીમ, CRPF તથા અન્ય આર્મી જવાનોની ટીમનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે.